buy product from flipkart....here

Gujarat 's. CM

🌊🌀 *ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓ : એક ઝલક*

🌀🌀ગુજરાતના મુખ્યમંત્રીપદે આરૂઢ  થનારા વિજય રૃપાણી હોદ્દાની મુદતની રીતે ગુજરાતના ૨3મા મુખ્યમંત્રી છે. તો વ્યક્તિની રીતે સોળમા મુખ્યમંત્રી છે. ગુજરાતે પ્રમાણમાં ઘણી ઓછી રાજકીય સ્થિરતા જોઇએ છે. આમ છતાં ગુજરાતની પ્રજાએ વિકાસપથની સફર સતત જારી રાખી છે.

👉 *ડો. જીવરાજ મહેતા*
(૧-૫-૬૦ થી ૮-૩-૬૨,  ૮-૩-૬૨ થી ૧૯-૯-૬૩)  કુલ ૬૭૭ દિવસ

🌀ગુજરાત અને મહારાષ્ટ્રની ૧૯૬૦ ના મેની ૧લી તારીખે. અલગ રાજ્યો બન્યાં. સ્વતંત્ર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી માટે ખંડુભાઇ દેસાઇ ને બળવંતરાય મહેતાનાં નામો વિચારાયાં હતાં, પરંતુ છેવટે મુંબઇ રાજ્યના મંત્રીમંડળમાં ગુજરાતના મંત્રીઓમાંથી સૌથી વરિષ્ઠ એવા ૭૩ વર્ષીય નાણામંત્રી ડા. જીવરાજ મહેતા પર પસંદગીનો કળશ ઢોળાયો.
અમરેલીના વતની જીવરાજભાઇએ મુંબઇ અને લંડનમાં તબીબી શિક્ષણ મેળવ્યું હતું. સ્વાતંત્રયની લડતમાં  સક્રિય હતા. નવરચિત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે ખાધવાળા રાજ્યના વહીવટનો ભાર ઉપાડ્યો. મુંબઇ રાજ્યનું વિભાજન થતાં તેમણે રાજ્યના વહીવટનો પાયો સુદ્દઢ કર્યો. ગુજરાતમાં ખેતી, સિંચાઇ, વીજળી, રસ્તાઓની ઊણપ વગેરે ક્ષેત્ર તેમણે ઝડપથી કામ કર્યું. તેમણે ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. કાયદો  કરી રાજ્યમાં ગૌહત્યા બંધ કરાવી. તેમણે વિધાનસભામાં પંચાયતધારો પસાર કરાવ્યો. તેમણે ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડની રચના કરી. જીવરાજભાઇની આગેવાનીમાં ૧૯૬૨માં કોંગ્રેસને ૧૧૩ બેઠકો મળી. જોકે ૧૯૬૩ માં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ. આ દરખાસ્ત ૩૧ વિરૂદ્ધ ૧૦૧ મતથી ઊડી ગઇ, પણ રાજકીય ખટપટના વિરોધી જીવરાજભાઇએ રાજીનામું આપી દીધું.

👉 *બળવંત મહેતા* (૧૯-૯-૬૩ થી ૧૯-૯-૬૫) કુલ ૭૩૧ દિવસ

🌀૧૮૯૯માં ભાવનગરમાં  જન્મેલા બળવંતરાય મહેતા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. તેઓ ઠક્કરબાપાએ ઉપાડેલા હરિજન સેવાકાર્યમાં પણ જોડાયા હતા. ૧૯૫૨માં ચૂંટણી જીતી તેઓ લોકસભામાં પણ ગયા હતા. તેમણે પંચાયતી રાજ સુદ્દઢ કર્યું. તેમની વહીવટ પર પકડ હતી. તેમના શાસન દરમિયાન વલસાડ અને ગાંધીનગર બે નવા જિલ્લા થયા. કંડલા ફ્રી ટ્રેડ ઝોન તેમના સમયમાં સ્થપાયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રચના માટે તેમણે સમિતિ નીમી.
૧૯૬૫ માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન, યુદ્ધિવરામ સમયે તેઓ વિમાનમાં બેસી કચ્છ સરહદ જોવા ગયા. પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાતાં પાકિસ્તાનનાં યુદ્ધવિમાનોએ તેમના વિમાનને તોડી પાડ્યું, જેમાં તેમનું અને તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.

👉 *હિતેન્દ્રભાઇ દેસાઇ*
(૧૯-૯-૬૫ થી ૪-૩-૬૭,  ૪-૩-૬૭ થી ૧૩-૫-૭૧)

🌀સુરતમાં ૧૯૧૫માં જન્મેલા હિતેન્દ્રભાઇ દેસાઇએ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. હિતેન્દ્રભાઇએ વકીલાતના ક્ષેત્રે ઘણી નામના મેળવી હતી.  ૫૦ વર્ષની વયે તેઓ મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે વલસાડ જિલ્લાનો પારડી ઘાસિયા જમીનનો પ્રશ્નો ઉકેલ્યો. ૧૯૬૮ - ૬૯ ના દુષ્કાળમાં તેમણે સફળ રાહતકામ કર્યું. પાટનગર ગાંધીનગરમાં તેમણે વસાહતોનાં  મંડાણ કરાવ્યાં. વહીવટી તંત્રને સુદ્દઢ બનાવવા તેમણે વિજિલન્સ કમિશનની રચના કરી.  નવેમ્બર ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થતાં તેઓ સંસ્થા કોંગ્રેસમાં જોડાયા. લોકસભામાં સંસ્થા કોંગ્રેસના પરાજય પછી તેમણે પોતાની સરકારનું રાજીનામું આપ્યું. જોકે પછી નાના પક્ષો અને અપક્ષોની મદદથી તેમણે પુનઃ સત્તા મેળવી, પણ ૩૫ દિવસમાં જ તેમનું મંત્રીમંડળ તુટ્યું. હિતેન્દ્રભાઇ દેસાઇના સમયકાળમાં ગુજરાતમાં સુવહીવટ, સંગઠન, સમતોલ વિકાસથી ગુજરાત સમૃદ્ધિ તરફ આગળ વધ્યું.

👉 *ઘનશ્યામભાઇ ઓઝા* (૧૭-૩-૭૨ થી ૧૭-૭-૭૩)

🌀ભારત પાકિસ્તાનના ૧૯૭૧ ના યુદ્ધ પછી માર્ચ, ૧૯૭૨માં યોજાયેલી ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસને ૧૬૮માંથી ૧૩૯ બેઠકો મળી. ૬૧ વર્ષના ઘનશ્યામભાઇ ઓઝાને ઇન્દિરા ગાંધીએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં. ૧૯૧૧માં ભાવનગરના ઉમરાળા ગામે જન્મેલા ઘનશ્યામભાઇ વકીલાત કરતા હતા. તેના સમયકાળમાં સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ  તદ્‌ન મફત કર્યું. નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપી. શહેરી જમીન ટોચમર્યાદા ધારો ઘડીને તેમણે જમીનની સટ્ટાખોરી અટકાવી. જૂન, ૧૯૭૩માં ઘનશ્યામભાઇ સામે અવિશ્વાસનો મત રજૂ થયો એટલે તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું.

👉 *ચીમનભાઇ પટેલ*
૧૭-૭-૭૩ થી ૯-૨-૭૪, ૪-૩-૯૦ થી ૧૭-૨-૯૪

🌀ઘનશ્યામભાઇના રાજીનામા પછી ચીમનભાઇ પટેલે ઇન્દિરા ગાંધીની વિરૂદ્ધમાં જઇને મુખ્યમંત્રીપદ હાંસલ કર્યું. જોકે ૧૯૭૪ માં થયેલા નવનિર્માણ આંદોલને ચીમનભાઇ પટેલ માટે સમગ્ર ગુજરાતમાં તિરસ્કાર ઊભો કર્યો. છેવટે ચીમનભાઇએ રાજીનામું આપ્યું.
૧૯૨૯ માં ત્રીજી જૂને વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે જન્મેલા ચીમનભાઇ અર્થશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક હતા.  તેમણે જુન, ૧૯૭૫ માં કિસાન નેતાઓના ટેકાથી ગુજરાત કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) નામનો પ્રાદેશિક પક્ષ રચ્યો. આ પક્ષને ૧૨ બેઠકો મળી હતી. ૧૯૭૭ માં ચીમનભાઇ જનતા પક્ષમાં જોડાયા. ૧૯૯૦માં ગુજરાતની આઠમી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે મળીને મિશ્ર સરકાર રચી. ચીમનભાઇના સમયકાળમાં ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા યોજનાનું કામ ગતિમાં ચાલ્યું.તેઓ લડાક મિજાજ માટે જાણીતા હતા. મોટા ભાગે ગુજરાતનું કેન્દ્રમાં કશું ઊપજે નહિં. પણ ચીમનભાઇ કોઇને ગાંઠતા નહિ. વહીવટી તંત્ર ઉપર તેમની ઘણી પકડ હતી.  તેમણે રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે પણ કેટલાક નક્કર પ્રયાસો કર્યાં હતા. ચીમનભાઇ સામે એવો આક્ષેપ થાય છે કે તેમના સમયથી રાજકારણમાં મૂલ્યોનું પતન શરૂ થયું. તેઓ કોઇપણ ભોગે પરિણામ ઝંખતા. તેમણે અસામાજિક તત્વોને પોષ્યાં તકવાદી રાજકારણના તેઓ પ્રેરક ગણાયા.

👉 *બાબુભાઇ જશુભાઇ પટેલ*
૧૮-૬-૭૫ થી ૧૨-૩-૭૬, ૧૧-૪-૭૭ થી ૧૭-૨-૮૦

🌀જનતા મોરચાને એપ્રિલ, ૧૯૭૫ માં થયેલી ચૂંટણીમાં ૮૬ બેઠકો મળી. અન્ય પક્ષોના ટેકાથી જનતા મોરચાએ સરકાર રચી અને બાબુભાઇ જશભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૧૧ માં નડિયાદમાં જન્મેલા બાબુભાઇએ વિદ્યાર્થીકાળથી જ રાજકીય જીવનમાં ઝંપલાવ્યું હતું. દેશમાં કટોકટી લદાયા પછી ઇન્દિરા ગાંધીએ ‘કિમલોપ’ના  ચીમનભાઇ પટેલનો સહકાર મેળવી બાબુભાઇની સરકાર તોડી. ૧૯૭૭, માર્ચમાં તેઓ જોકે પુનઃ મુખ્યમંત્રી થયા. તેમના બીજા શાસનકાળ દરમિયાન કેન્દ્રે નર્મદા જળવિવાદનો ચુકાદો જાહેર કર્યોં હતો. કટોકટીનો તેમણે મક્કમ વિરોધ કરેલો. બાબુભાઇએ પૂરહોનારતથી અસર પામેલા મોરબીને પુનઃ સ્થાપિત કર્યું.

👉 *માધવસિંહ સોલંકી*
૨૪-૧૨-૭૬ થી ૧૧-૪-૭૭,   ૬-૬-૮૦ થી ૬-૭-૮૫,
૧૧-૩-૮૫ થી ૬-૭-૮૫,  ૧૦-૧૨-૮૯ થી ૩-૩-૯૦

🌀માર્ચ, ૧૯૭૬ માં બાબુભાઇ પટેલની સરકારના પતન પછી માધવસિંહ સોલંકીએ પોતાનું મંત્રીમંડળ રચ્યું. ૧૯૨૭માં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદર ગામે જન્મેલા માધવસિંહે પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.૧૯૭૭માં વિધાનસભામાં બહુમતી ઘટતાં તેમણે રાજીનામું આપી દીધું હતું, પરંતુ ૧૯૮૦ માં ૧૩૯ બેઠકોના વિજય સાથે તેમણે પુનઃ મુખ્યમંત્રીપદ સંભાળ્યું અને મંત્રીમંડળની પાંચ વર્ષની મુદત પૂરી કરનાર તેઓ ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મુખ્યમંત્રી બન્યા.૧૯૮૫ની ચૂંટણીમાં જીતી તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી અનામતિવરોધી આંદોલને તેમનો ભોગ લીધો. માધવસિંહ સોલંકી ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, આદિવાસી અને મુસ્લિમ) થિયરીને ગુજરાતમાં પ્રચિલત કરી એવું કહેવાય છે. સાહિત્યપ્રેમી માધવસિંહે ઉદ્યોગોના વિકાસ માટે પગલાં લીધાં. તેમણે સરદાર સરોવર બાંધકામનો પ્રારંભ કર્યોં. તેમણે પ્રાથમિક શાળામાં મફત મધ્યાહન ભોજન યોજના અમલી કરી. ૧૯૮૯ માં તેઓ ચોથીવાર મુખ્યમંત્રી બન્યા હતાં.

👉 *અમરસિંહ ચૌધરી* : ૬-૭-૮૫ થી ૯-૧૨-૮૯

🌀જુલાઇ, ૧૯૮૫માં માધવસિંહ સોલંકીના અનુગામી તરીકે અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૪૪ વર્ષની સૌથી નાની વયે રાજ્યના મુખ્યમંત્રી બનનાર અમરસિંહ ચૌધરીનો જન્મ સુરત જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામે થયો હતો. તેમણે રાજ્યમાં શાંતિ સ્થાપી. ૧૯૮૮ માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યોં. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી.

👉 *છબીલદાસ મહેતા*: ૧૭-૨-૯૪ થી ૧૩-૩-૯૫

🌀ચીમનભાઇ પટેલના આકસ્મિક અવસાન પછી ૧૯૯૪માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા. ભાવનગરના મહુવા ગામે ૧૯૨૫માં જન્મેલા છબીલદાસ મહેતાએ સ્વાતંત્રયની લડતમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્નો કર્યાં.

👉 *કેશુભાઇ પટેલ*
૧૩-૩-૯૫ થી ૨૧-૧૦-૯૫,  ૪-૩-૯૮ થી ૭-૧૦-૨૦૦૧

🌀ભાજપે ૧૯૯૫ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૨૨ બેઠકો મેળવી અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૩૦ માં રાજકોટમાં જન્મેલા કેશુભાઇએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે નોંધપાત્ર કામ કર્યું હતું. શંકરશિંહ વાઘેલાએ બળવો કરતાં તેમણે મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૯૮ ની   ચૂંટણીમાં ભાજપની જીત થઇ અને માર્ચ, ૧૯૯૮માં તેઓ પુનઃ મુખ્યમંત્રી બન્યા. જોકે જાન્યુઆરી, ૨૦૦૧ માં આવેલા ભૂકંપ પછી તેમની અને પક્ષની લોકપ્રિયતા ઘટતાં કેન્દ્રીય મોવડીમંડળે તેમના સ્થાને નરેન્દ્રમોદીને મુખ્યમંત્રી બનાવ્યાં. કેશુભાઇનું પ્રથમ વખતનું શાસન ઘણું વખણાયું હતું,  પરંતુ બીજી વખતના શાસનમાં વહીવટી તંત્ર ઉપરની તેમની પકડ ઢીલી થઇ હોવાનું પ્રજાએ અનુભવ્યું. તેમણે ગોકુળગ્રામ યોજના, ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વિકાસ વગેરે ક્ષેત્રે કાર્ય કર્યું. તેમના શાસનમાં નર્મદા યોજનાનું સ્થગિત કામ પુનઃ શરૂ થયું.

👉 *સુરેશચંદ્ર મહેતા* : ૨૧-૧૦-૯૫ થી ૧૯-૯-૯૬

🌀શંકરસિંહ વાઘેેલાના બળવા પછી  સુરેશચંદ્ર મહેતા રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ક્ચ્છમાંથી પ્રથમ મુખ્યમંત્રી બનનાર સુરેશભાઇનો જન્મ ૧૯૩૬માં માંડવીમાં થયો હતો. જોકે તેઓ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહિ અને ઓકટોબર ૧૯૯૬માં તેમની સરકારનું પતન થયું.તેઓ ભલે લો પ્રોફાઇલ વ્યક્તિ ગણાતા હોય, પણ તેમનામાં કાર્યદક્ષતા ઘણી ઓછી છે. તેમણે મુખ્યમંત્રી તરીકે ખાસ કોઇ છાપ છોડી નહીં. તેઓ ૨૦૦૨માં ગુજરાત વિધાનસભામાંની ચૂંટણી હારી જતાં તેમની કારકિર્દીને મોટો ફટકો પડ્યો.

👉 *શંકરસિંહ વાઘેલા*
૨૩-૧૦-૯૬ થી ૨૮-૧૦-૯૭

🌀ભાજપમાંથી મુખ્યમંત્રી તરીકેના પ્રબળ દાવેદાર શંકરસિંહ વાઘેલા ૧૯૯૬માં રાષ્ટ્રીય જનતા પક્ષ સ્થાપીને કોંગ્રેસની મદદથી મુખ્યમંત્રી બન્યા. આશરે  એક વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. પણ તાત્કાલિક નિર્ણયો લઇને તેમણે રાજ્યની પ્રજાને પ્રજાને પ્રભાવિત કરી અને એક મજબૂત અને મક્કમ નેતા તરીકેની પોતાની ઓળખને સુદ્દઢ કરી.

👉 *દિલીપભાઇ પરીખ* : ૨૮-૧૦-૯૭ થી ૪-૩-૯૮

🌀માત્ર ચારેક મહિના માટે  મુખ્યમંત્રીપદે રહેનાર દિલીપભાઇ પરીખ અત્યંત પ્રવાહી અને અનિશ્ચિત રાજકીય પરિસ્થિતમાં ખાસ કશું કરી શક્યા નથી. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી ઓછો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ તેમના નામે છે. તેઓ શંકરસિંહ વાઘેલાની ઘણી નજીક હતા. અને અકસ્માતે મુખ્યમંત્રી બન્યા.

👉 *નરેન્દ્ર મોદી* :            (સૌથી વધુ ૪૪૬૫ દિવસનું શાસન)
૭-૧૦-૨૦૦૧ થી ૨૨-૧૨-૨૦૦૨ 
૨૨-૧૨-૨૦૦૨ થી ૨૨-૪-૨૦૧૪   

🌀‘નમો’ તરીકે જાણીતા મોદીનો જન્મ ઉત્તર ગુજરાતના વડનગરમાં  ૧૭-૯-૧૯૪૯ ના રોજ થયો છે. તેઓ કુશળ સંગઠક. એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે  તેમણે પોતાની આગવી આભા અને ઓળખ ઊભી કરી હતી. ભારતની ૧૨૫ કરોડની પ્રજાના વડાપ્રધાન થવા પહેલાં તેમણે ગુજરાતના વિકાસને આખા વિશ્વમાં પહોંચાડ્યો. ‘પાંચ કરોડ ગુજરાતીઓ’ ના નેતૃત્વકાર ગણાતા નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના પંથે લઇ જવામાં સફળતા મેળવી હતી. તેમનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક અને વકતૃત્વ પ્રભાવક. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના સૂત્ર તળે તેમણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરીને ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડી રોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આઈટી, વગેરે ક્ષેત્રે તેમણે નવી નવી પહેલ કરી. માર્કેટિંગમાં માહેર. પ્રજા અને પક્ષ બન્ને પર એકસરખી પકડ. જે માને તે કરે અને જે કરે તે લોકોને મનાવીને જ રહે.

👉 *આનંદીબહેન પટેલ* :
૨૨-૪-૨૦૧૪ થી ૬-૮-૨૦૧૬    કુલ ૮૩૬ દિવસ
      
🌀‘બહેન’ના હુલામણા નામથી ઓળખાતાં આનંદીબહેન પટેલને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાની તક મળી.ગુજરાત સરકારમાં સૌથી અનુભવી મંત્રી. મહેસાણના વિજાપુર તાલુકાના ખરોડ ગામે ૨૧-૧૧-૧૯૪૧ના રોજ  આનંદીબહેનનો જન્મ થયો હતો.૧૯૮૬માં રાજકીય ક્ષેત્રે પ્રવેશેલાં બહેન મૂળે તો શિક્ષિકાનો જીવ. પોતે સ્ત્રી હોવાથી સ્ત્રીની પીડા, દુઃખ કે અનય લાગણીઓ યોગ્ય રીતે જાણી-સમજી અને અનુભવતાં આનંદીબહેને રાજ્યનાં દરેક ગામના દરેક ઘરમાં ં શૌચાલય બનાવવાની નેમ કરી. એના અસરકારક અમલ માટે રાજ્ય સરકારની ઘર શૌચાલય યોજનાનોનું નેતૃત્વ ગામની આગેવાન મહિલાઓને સોપ્યું. રાજ્યને  કુપોષણ મુક્ત બનાવવાના અભિયાનને પ્રોત્સાહન વેગ મળે તે માટે કૃષિ મહોત્સવના સમાપન પ્રસંગે તેમને મળેલી ખાદ્યચીજવસ્તુઓની ભેટ જિલ્લાની આંગણવાડીઓમાં બાળકો-સગર્ભા માતાઓને અપાતી હતી.આ ઉપરાંત મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. તેમણે પોતાને બે વર્ષના કાર્યકાળમાં કામ ઘણું કર્યું પણ કદાચ સમય અને નસીબ તેમની ફેવરમાં નહોતું. પહેલાં પાટીદારોનું આંદોલન તેમને નડ્યું અને બાકી હતું તે દલિતો પર થયેલા અત્યાચારોએ પૂરું કર્યું. કમનસીબી એવી કે ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી પોતાનો ત્રણેક વર્ષનો કાર્યકાળ પણ પૂરો ના કરી શક્યાં.

👉 *વિજયભાઈ રૂપાણી* ૦૭-૦૮-૨૦૧૬થી....

🌀આનંદીબહેનના રાજીનામા પછી તેમના અનુગામી માટે ભારે રહસ્ય રહ્યું. છેવટે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ ભાજપ ગુજરાતના પ્રમુખ હોવા ઉપરાંત આનંદીબહેન સરકારમાં મંત્રી પણ હતા. રાજકોટના આ ધારાસભ્ય કુશળ સંગઠક ગણાય છે. તેમણે ખૂબ જ નાજુક સ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પાટીદાર આંદોલન અને દલિતોના પ્રત્યાઘાત તેમને ઝિલવાના છે.
તેમની સાથે નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમનું નામ મુખ્યમંત્રી તરીકે બોલાતું હતું. તેઓ અનુભવી મંત્રી છે. પાટીદારોની લાગણીને સાચવવા તેમને આ જવાબદારી સોંપાઈ હોય તેવી પણ ચર્ચા છે. એક-સવા વર્ષ પછી સપ્ટેમ્બર-૨૦૧૭માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે સતત કામ કરવું પડશે.

🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊

Previous
Next Post »

flipkart app